કાશ્મીર
જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં શનિવારે સેનાના કાફલા પર થયેલી આતંકવાદી ઘટના બાદ સુરક્ષા દળોને તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલામાં આતંકીઓએ સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે લશ્કરના આતંકવાદીઓએ સેનાની ટ્રક પર 36 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ટ્રકમાંથી બે ગ્રેનેડ પિન પણ મળી આવી છે. હુમલાની મોડસ ઓપરેન્ડી ગયા વર્ષે કટરામાં થયેલા આતંકી હુમલા સાથે મેળ ખાય છે. આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન માટે સર્ચ ઓપરેશન માટે સેના, રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળોના 2000 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
સ્ટીકી બોમ્બ એ વિસ્ફોટક ઉપકરણો છે જેનો ઉપયોગ વાહનો પર હુમલો કરવા માટે થાય છે. આને રિમોટ વડે ઉડાવી શકાય છે અથવા ટાઈમર દ્વારા સેટ કરી શકાય છે.
પુંછ હુમલો કટરા હુમલા સાથે એકરુપ છે
સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેન્સિક ટીમે આર્મીની ટ્રક પર ફાયરિંગ કરવામાં આવેલી 36 રાઉન્ડ ગોળીઓ સહિત તમામ સેમ્પલ એકત્ર કરી લીધા છે. દળોને ટ્રકમાંથી બે ગ્રેનેડ પિન પણ મળી આવી છે. સેનાના જવાનને બહાર કાઢનારા ત્રણ પેરામેડિક્સના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત, હુમલાની મોડસ ઓપરેન્ડી ગયા વર્ષે કટરામાં થયેલા હુમલા જેવી જ જણાય છે.
આતંકવાદીઓને પકડવા માટે 2000 કમાન્ડોનું ઓપરેશન
આ ઘૃણાસ્પદ કૃત્ય બાદ તેમને સબક શીખવવા માટે પૂંચમાં સેના, રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે સર્ચ ઓપરેશન માટે લગભગ 2000 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
IBએ ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો
દરમિયાન, IBએ ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સાથે એક રિપોર્ટ શેર કર્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં બે જૂથના સાત આતંકવાદીઓ સામેલ હતા. સૂસનો દાવો છે કે આતંકવાદીઓ પાકિસ્તાની રાષ્ટ્રવાદી જૂથોના છે.
ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે સેનાના વાહન પર હુમલો કરનારા આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT)ના ગ્રાઉન્ડ વર્કર્સની મદદથી આવું કર્યું હતું. અગાઉ, એવું જાણવા મળ્યું હતું કે જૈશ સમર્થિત આતંકવાદી જૂથ, પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી હતી. જો કે આ હુમલામાં એલઈટીના આતંકવાદીઓ સામેલ હોવાની શક્યતા છે.
રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવ્યા
આ હુમલો રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો પર થયો હતો. આ એકમ છે જે કાશ્મીરમાં આતંકવાદીઓને નુકસાન પહોંચાડે છે. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન ઓલઆઉટ’ ચાલી રહ્યું છે, જે રાષ્ટ્રીય રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના નામ હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકૃષ્ણ સિંહ અને સિપાહી સેવક સિંહ છે. આ તમામ રાષ્ટ્રીય રાઈફલ્સના સૈનિકો હતા.