સુપ્રીમ કોર્ટે સોમવારે કોમેડિયન મુનાવર ફારૂકી વિરુદ્ધ એક શો દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં દાખલ કરવામાં આવેલી તમામ FIRને સોમવારે ટ્રાન્સફર કરી દીધી છે. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંજય કેરોલે ફારૂકીને દિલ્હીમાં તેમના વિરુદ્ધ જારી કરાયેલા ‘પ્રોડક્શન વોરંટ’ના સંબંધમાં આપવામાં આવેલી વચગાળાની રાહતને વધુ ત્રણ અઠવાડિયા સુધી લંબાવી હતી.
મુનાવર ફારૂકી વિરુદ્ધ નોંધાયેલી તમામ FIR ઈન્દોર ટ્રાન્સફર કરવામાં આવી છે
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તેણે અરજીને રદ કરવાની યોગ્યતા પર કોઈ ટિપ્પણી કરી નથી અને જો કોઈ અરજી દાખલ કરવામાં આવશે, તો તેને કાયદા અનુસાર તેના ગુણદોષના આધારે ધ્યાનમાં લેવામાં આવશે. 5 ફેબ્રુઆરી, 2021ના રોજ, સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકીને ફારૂકીને વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેને જામીન નકારી કાઢતા કહ્યું હતું કે સંવાદિતાને પ્રોત્સાહન આપવું એ બંધારણીય ફરજોમાંની એક છે. એફઆઈઆર મુજબ, કોમેડી શો (જેમાં કથિત ટિપ્પણી કરવામાં આવી હતી) 1 જાન્યુઆરી, 2021 ના રોજ ઈન્દોરના 56 દુકાન વિસ્તારમાં સ્થિત એક કાફેમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય માલિની લક્ષ્મણ સિંહ ગૌરના પુત્ર એકલવ્ય સિંહ ગૌરે ફારૂકી અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જણાવી દઈએ કે કંગના રનૌત લોક અપની પ્રથમ સિઝનની વિજેતા બની હતી. શોમાં તેની અને અંજલિ અરોરા વચ્ચેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ પડી હતી.