કાંકેર. તાજેતરમાં ટેકલગુડામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા, જ્યારે નક્સલવાદીઓને પણ મોટું નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટના બાદ સુરક્ષાદળોએ આખા બસ્તરમાં પોતાની ગતિવિધિ વધારી દીધી છે. ઓપરેશન દરમિયાન કાંકેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને બે ખતરનાક નક્સલીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. બંને પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે જિલ્લા એસપી દિવ્યાંગ પટેલે મોટો ખુલાસો કર્યો છે.
તેમણે કહ્યું કે સર્ચ દરમિયાન પોલીસે બંન્ને ઈનામી નક્સલીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા નક્સલવાદીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. તેમની પાસેથી 12 બોરની બંદૂક, પિસ્તોલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે. એસપીએ જણાવ્યું કે બંને માઓવાદીઓને જિલ્લા મુખ્યાલય પાસેના મુજલગોંડી ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. બંને નક્સલવાદીઓ ભૂતકાળમાં શહેરના એક પોલીસકર્મી અને આર્મી જવાનની હત્યામાં પણ સામેલ હતા. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.