‘તુમ રહે ના તુમ’નું નિર્માણ વિની ચાવલા અને સોનુ કાત્યાલ દ્વારા તેમના બેનર ફૅનેટિકલી ફિલ્મી પ્રાઇવેટ લિમિટેડ હેઠળ કરવામાં આવી રહ્યું છે, જે સ્વીડિશ નાટ્યકાર ઑગસ્ટ સ્ટ્રિન્ડબર્ગના ઐતિહાસિક નાટક ‘ધ ફાધર’નું રૂપાંતરણ છે.
ફિલ્મ દ્વારા, સ્ટ્રિન્ડબર્ગના કામના ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક મૂળને ભારતીય કુટુંબ સેટિંગમાં રજૂ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, ‘ધ ફાધર’ નાટક અહંકાર, અસુરક્ષા અને સંબંધોના બદલાતા સમીકરણોને ભાવનાત્મક સ્વરૂપમાં બતાવે છે.

