અયોધ્યામાં બની રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રથમ ફ્લાઈટ 6 જાન્યુઆરીથી શરૂ થશે.
હાલમાં, અયોધ્યાથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ જેવા મોટા શહેરો માટે ફ્લાઈટ્સ શરૂ કરવાના સંકેતો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અયોધ્યામાં 821 એકર જમીનમાં એરપોર્ટ બની રહ્યું છે. પ્રથમ તબક્કામાં 65,000 ચોરસ ફૂટનું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. રનવે 2,200 મીટર લાંબો છે.
હાલમાં, અયોધ્યા એરપોર્ટ પરથી દર કલાકે 2-3 ફ્લાઈટ્સની ક્ષમતા છે. આ એરપોર્ટના પ્રથમ તબક્કાના નિર્માણનો ખર્ચ લગભગ 1450 કરોડ રૂપિયા છે.
PM નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એરપોર્ટના ઉદ્ઘાટનની સાથે અનેક ડઝન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરશે. જેમાં અયોધ્યા ધામથી ગ્રીનફિલ્ડ ટાઉનશીપમાં બની રહેલા રસ્તાઓનો સમાવેશ થાય છે. અયોધ્યામાં 2180 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ ટાઉનશિપ વિકસાવવામાં આવી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યાધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ અહીંથી દેશની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરશે. તેમજ છ નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે.