વી.ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જના આઈજી હતા.
(GNS),09
CBIમાં આગામી પાંચ વર્ષ માટે ગુજરાત કેડરના IPS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરશે. ચંદ્રશેખર અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સીમાં પણ કામ કરી ચૂક્યા છે. ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જના આઈજી હતા. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી વી.ચંદ્રશેખરને સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંદ્રશેખર સીબીઆઈમાં કામ કરી ચૂક્યા છે. ચંદ્રશેખર હાલમાં સુરત રેન્જ આઈજી તરીકે કાર્યરત હતા. તાજેતરમાં તેમના નેતૃત્વમાં સુરતના કડોદરા અપહરણ કેસની તપાસ પૂર્ણ થઈ હતી. આ મામલે આઈજી પરિવારના સભ્યોને મળ્યા હતા. અપહરણકારોએ કોઈ બદલો ન મળતા બાળકીની હત્યા કરી નાખી. વી ચંદ્રશેખર એક ધારદાર અધિકારી તરીકે ઓળખાય છે.
કેન્દ્ર સરકારે 7 નવેમ્બરે ચંદ્રશેખરની નિમણૂક માટે આદેશ જારી કર્યો હતો. આ પહેલા ચંદ્રશેખર સીબીઆઈમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ માહિતી કર્મચારી મંત્રાલયના આદેશમાં આપવામાં આવી છે. 2000 બેચના અધિકારી ચંદ્રશેખર CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરશે. કેબિનેટની નિમણૂક સમિતિએ પાંચ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકને મંજૂરી આપી છે. તમિલનાડુના વતની વી ચંદ્રશેખરે એગ્રીકલ્ચરમાં પીજીની ડિગ્રી મેળવી છે. તેઓ અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કામ કરી ચૂક્યા છે. તેઓ થોડા સમય માટે અમદાવાદ રેન્જ આઈજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં ગુજરાતના IPSની કામગીરીમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જે બાદ વી ચંદ્રશેખરને સુરત રેન્જ આઈજીની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ જ્યારે તેઓ CIIમાં પોસ્ટેડ હતા ત્યારે તેઓ હૈદરાબાદ ઓફિસમાં બેસતા હતા.