આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…
જૂનાગઢ: જૂનાગઢમાં એક માળની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઈમારતના કાટમાળમાં 4 લોકો દટાયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સ્થળ પર અરાજકતાનો માહોલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં એક માળનું મકાન ધરાશાયી થયું છે. કડિયાવાડ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી આ ઈમારત આજે બપોરે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં 4 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડ લોકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે.
સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ દાતાર રોડ પર આ બિલ્ડીંગની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાથી હંમેશા ભારે ભીડ રહે છે. બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે પણ અહીં ભીડ એકઠી થઈ ગઈ હતી. હાલ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કાટમાળ હટાવવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.