બનાસકાંઠામાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદ-ડીસા હાઈવે પર ઢોરદણ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઊંઝાથી ઘરે પરત ફરી રહેલા પરિવાર સાથે અકસ્માત સર્જાયો હતો. તમામ મૃતદેહોને પીએમ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
- થરાદ-ડીસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારો અકસ્માત
- ટ્રક ચાલકે કારને ટક્કર મારતાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
- તમામ મૃતકો વાવના ડભાલિયા વાસના રહેવાસી છે.
થરાદ-ડીસા હાઈવે પર ખોરડા ગામ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. ટ્રક ચાલકે કારને ટક્કર મારતાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ચાર ભાગ ઉડી ગયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકો વાવના ડભાલિયા વાસણાના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના બાદ પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.