છેલ્લા કેટલાક દિવસોથી સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલી ઉથલપાથલ બાદ એક વાત સ્પષ્ટ છે કે આ પાર્ટીમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. લોકસભાના ઉમેદવારોના સતત બદલાવને કારણે સમગ્ર રાજ્યમાં સપાને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા રામપુર, મુરાદાબાદ પછી મેરઠ અને હવે નોઈડામાં પણ સપાના ઉમેદવાર બદલવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે એટલે કે 28મી માર્ચે સમાજવાદી પાર્ટીએ પહેલા મેરઠથી પોતાનો ઉમેદવાર બદલ્યો હતો અને ત્યાર બાદ નોઈડામાં એક વખત ઉમેદવાર બદલ્યા બાદ હવે ફરીથી ઉમેદવાર બદલ્યો છે.
અગાઉ, પાર્ટીએ ડો. મહેન્દ્ર નાગરની ટિકિટ રદ કરીને ગૌતમ બુદ્ધ નગર લોકસભા બેઠક પરથી રાહુલ અવનાને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ ગુરુવારે અખિલેશે ફરી વર્તમાન ઉમેદવાર બદલીને ડૉ.મહેન્દ્ર નાગરને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.
વાસ્તવમાં, સમાજવાદી પાર્ટી દ્વારા 16 માર્ચના રોજ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં નોઈડાના ગૌતમ બુદ્ધ નગરથી ડો. મહેન્દ્ર નાગરને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ નાગરનું નામ આવતાની સાથે જ અહીં જૂથવાદ ઉગ્ર બનતો જોવા મળ્યો હતો. ત્યાંના કેટલાક સ્થાનિક નેતાઓએ તેનો વિરોધ કર્યો અને યુવા નેતાને ઉમેદવાર બનાવવાની માંગ કરી. આ મામલાને લઈને સપાના નેતાઓનું એક જૂથ લખનૌ ગયું અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા. જે બાદ, સપાએ તેની બીજી યાદી બહાર પાડતી વખતે મહેન્દ્ર નગરથી ટિકિટ રદ કરી હતી અને ત્યાંથી રાહુલ અવાનાને ઉમેદવાર બનાવ્યા હતા.