રક્ષાબંધનને ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે. બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળી રહી છે. ભારતીય સંસ્કૃતિનું જતન કરવાના શુભ હેતુથી સોલગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાખડી બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સ્વસ્તિક મહિલા કોલેજની દિકરીઓ દ્વારા ઘરેથી રાખડીનું મટીરીયલ લાવીને પોત-પોતાના વિચારો મુજબ અલગ-અલગ ડીઝાઈન સાથે રાખડી બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી અને સ્વસ્તિક બાલમંદિરની નાની દિકરીઓ દ્વારા આવી રાખડી બનાવીને તેમને તિલક અને રાખડી બાંધવામાં આવી હતી. દરેકે પોતાની રાખડી બનાવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે, જેમાં આજે નાના નાના કીડા બાંધીને આ પરંપરાને સાર્થક કરવામાં આવી હતી. આ રાખડી બનાવવાની સ્પર્ધામાં પરમાર કૃપાએ પ્રથમ સ્થાન, બારોટ ક્રિષ્નાએ દ્વિતીય સ્થાન અને સૃષ્ટિ પટેલે તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વસ્તિક મહિલા કોલેજના આચાર્ય નેહલબેન પરમાર અને તમામ મહિલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્વસ્તિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.