ભાવનગરથી ચારધામ જતા પ્રવાસીઓની બસને ઉત્તરાખંડના ગંગોત્રીમાં અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ખીણમાં પડી. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આજે 6 મૃતકોના મૃતદેહ ભાવનગર લાવવામાં આવ્યા હતા અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.