(GNS),તા.28
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ તેમના મતવિસ્તાર વોર્ડ નંબર 8માં સરગાસણ ચોકડી ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અને સુલભ શૌચાલયના સહયોગથી બનાવવામાં આવેલ પે એન્ડ યુઝ જાહેર શૌચાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગરને સ્વચ્છ બનાવવા અને સ્વસ્થ જીવનશૈલી જીવવાનો સંકલ્પ કરીએ. આ કાર્યક્રમમાં સ્ટે. ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલર શ્રી, અધિકારીઓ, કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.