કોઈપણ સરકારી કામ કે વિકાસના કામ માટે જાહેર વિસ્તારમાં ખોદકામ જરૂરી છે. પરંતુ ખોદકામ કરતી વખતે અન્ય કોઈની જાનમાલને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, મોડાસાના ટીંટોઈ પાસે ચાલી રહેલા રેલવે લાઈનના કામ દરમિયાન નર્મદાની પાઈપલાઈન તૂટી ગઈ હતી.
મોડાસા, ઉદેપુર સુધી રેલ્વે લાઇનનું કામ ચાલુ છે જ્યારે ખેડૂતોના ખેતરો પાસે રેલ્વે લાઇન માટે ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારે મોડાસાના ટીંટોઇ પાસે રેલવે લાઇનનું ખોદકામ ચાલી રહ્યું હતું. દરમિયાન, અંડરગ્રાઉન્ડ નર્મદાની પાઈપલાઈન અચાનક તૂટી જતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે ઘઉંની સિઝન છે, ખેડૂતો દ્વારા ભારે મહેનતથી કરવામાં આવેલ વાવેતર સદંતર નિષ્ફળ ગયું છે અને ખેડૂતોને રાત્રે પાણી માટે રડવાનો વારો આવ્યો છે.