મોડાસા નગરમાં 40 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા આ વર્ષે 41મી રથયાત્રા બનવા જઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના સૌથી મોટા અને પૌરાણિક મંદિર મોડાસાના બાલકનાથ મંદિર માટે મંદિર ટ્રસ્ટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજે શહેરની યાત્રા પર જશે. દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસાથી શરૂ થનારી 41મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બાલકદાસજી મંદિર ખાતે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા રથની સફાઈ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ રંગબેરંગી વાળાઓ તૈયાર કરવામાં આવી છે.