નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં કહ્યું કે સહારા ગ્રુપના ત્રણ કરોડ રોકાણકારોએ કંપનીની સહકારી મંડળીઓમાં ફસાયેલા 80 હજાર કરોડ રૂપિયા પાછા ખેંચવાની માંગ કરી છે. સહારા ગ્રૂપ પાસેથી વધુ નાણાં મેળવવા સરકાર ફરી સુપ્રીમ કોર્ટમાં જશે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં સહકાર રાજ્યમંત્રી બીએલ વર્માએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે સહકાર મંત્રાલયે રોકાણકારો માટે એક પોર્ટલ શરૂ કર્યું છે, જ્યાં તેઓ તેમના ફસાયેલા નાણાં મેળવવા માટે અરજી કરી શકે છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ રોકાણકારોએ 80 હજાર કરોડ રૂપિયા ઉપાડવા માટે પોર્ટલ પર નોંધણી કરાવી છે. તેમણે કહ્યું કે અમે 45 દિવસમાં રોકાણકારોને પૈસા પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમને પાંચ હજાર કરોડ રૂપિયા મળ્યા છે, અમે તમામ રોકાણકારોના પૈસા પરત કરવા અને રકમ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
સહારા ગ્રુપના રોકાણકારોને એક પછી એક પૈસા પરત કરવામાં આવશે. ઘણા રોકાણકારોને તેમના પૈસા પાછા મળી ગયા. તેમણે ખાતરી આપી હતી કે પોર્ટલ પર પ્રક્રિયામાંથી પસાર થનારા તમામ રોકાણકારોને તેમના પૈસા પાછા મળશે.