કરોડોની કિંમતના હીરાના વેપાર દ્વારા સંપત્તિ એકઠી કરનાર અને દોમ-દોમ સાહ્યબીમાં જીવન વિતાવનાર સુરતનું એક યુગલ હવે તમામ સામાજિક સુખ-સુવિધાઓ છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યું છે. ચાતુર્માસ બાદ જૈન સમાજમાં ભવ્ય દીક્ષાના કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત આ દંપતી પણ પોતાનું વૈભવી જીવન છોડીને દીક્ષા ગ્રહણ કરવા ઉમરા જૈન સંઘ પહોંચ્યા હતા.