વેરાવળઃ દેશના સુપ્રસિદ્ધ અને બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં અધિક માસ અને શ્રાવણ મહિના દરમિયાન ધર્શનાર્થીઓનો ભારે ધસારો રહેવાની શક્યતા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરાશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. “21 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા” ભાવિકો આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://sormnath.org/ShortTermPooja/ અથવા somnathprasad.com, અથવા ટ્રસ્ટના પૂજાવિધિ કાઉન્ટર પર રૂબરૂ જઈને 18 જુલાઈ થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન પુજા નોંધાવી શકશે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે આ વિશેષ “21₹ બિલ્વપુજા સેવા” શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. 1.40 લાખ થી વધુ ભક્તોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયુ છે કે
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।