મલેશિયાના સબાહ રાજ્યના સાંદાકન જિલ્લામાં રવિવારે લાગેલી ભીષણ આગમાં એક ગામમાં લગભગ 1000 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 9000 થી વધુ લોકો બેઘર થઈ ગયા છે, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બોર્નિયો ટાપુ પર સબાહના સાંદાકન જિલ્લામાં સ્થિત આ પાણી આધારિત ગામમાં રવિવારે સવારે લગભગ 1.32 વાગ્યે (1732 GMT) આગની જાણ થઈ હતી. ડિસ્ટ્રિક્ટ ફાયર એન્ડ રેસ્ક્યુ ચીફ જિમ્મી લગુંગે નિવેદનમાં જણાવ્યું હતું કે ભારે પવન અને ઘરોની નજીક હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઓછી ભરતીના કારણે ખુલ્લા પાણીના સ્ત્રોતો સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, સબાહના એક પાણી આધારિત ગામોમાં આગ લાગી હતી, જ્યાં લાકડાના મકાનો સ્ટિલ્ટ પર બાંધવામાં આવ્યા છે. આ વિસ્તારો દેશના કેટલાક ગરીબ સમુદાયોનું ઘર છે, જેમાં ઘણા સ્ટેટલેસ અને સ્વદેશી જૂથોનો સમાવેશ થાય છે. સંદાકન પોલીસે રાજ્ય સમાચાર એજન્સી બર્નામાને જણાવ્યું કે આગથી 9,000 થી વધુ રહેવાસીઓ પ્રભાવિત થયા છે. જો કે હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી.
અહેવાલ મુજબ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં, ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને સ્થળ પરથી બહાર કાઢીને રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવી રહ્યા છે. મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ફેડરલ સરકાર અસરગ્રસ્ત લોકોને મૂળભૂત સહાય અને અસ્થાયી પુનર્વસન પ્રદાન કરવા સબહ સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહી છે. ફેસબુક પર પોસ્ટ કરતાં વડા પ્રધાન ઈબ્રાહિમે લખ્યું કે અત્યારે પ્રાથમિકતા પીડિતોની સુરક્ષા અને સ્થળ પર તાત્કાલિક સહાય પૂરી પાડવાની છે.

