(જીએનએસ) તા. 22
ગાંધીનગર,
‘ઈન્દુચાચાના હુલામણા’ તરીકે જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની 132મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ. પટેલે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં ઉપસ્થિત તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
‘ઈન્દુચાચા’ એ સ્વતંત્રતા ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઈન્દુચાચાએ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઈન્દુલાલ યાજ્ઞિક સદગીની વરેલા એક નિઃસ્વાર્થ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હતા અને પત્રકાર અને લેખક પણ હતા. ઈન્દુ ચાચા દ્વારા સાહિત્યમાં આપેલા યોગદાનને કારણે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબેન મહેતા, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.