અગાઉ જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતી હતી.
ગાંધીનગર: ગુજરાતના 33 જિલ્લાઓમાં વહીવટી કૌશલ્ય ધરાવતા પ્રભારી સચિવોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રભારી સચિવ તરીકે વિવિધ વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપી છે.
તમામ 33 જિલ્લામાં પ્રભારી સચિવોની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતી હતી.
ઋષિકેશ પટેલ અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી છે જ્યારે મુકેશ કુમારને પ્રભારી સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. અમરેલીમાં પરશોત્તમ સોલંકી પ્રભારી મંત્રી છે જ્યારે સંદીપ કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે.
બનાસકાંઠામાં બળવંતસિંહ રાજપૂતને પ્રભારી મંત્રી અને વિજય નેહરાને પ્રભારી સચિવ બનાવાયા છે. મિલિંદ તોરવણેને ગાંધીનગર જિલ્લાના પ્રભારી સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. અશ્વિની કુમારને મહિસાગરના પ્રભારી સચિવ બનાવાયા છે.