પાટણ જિલ્લામાં તાજેતરમાં ચક્રવાત બિપરજોય અને ભારે વરસાદની અસર જોવા મળી હતી. વાવાઝોડા અને વરસાદની સંભાવના બનતા જ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું. જિલ્લાના દરેક વિભાગે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કર્યું. આ તમામ કામગીરી એક દિવસમાં કરવામાં આવી નથી. દરેક કામગીરી માટે એક એજન્ડા નક્કી કરવામાં આવે છે. દરેક વિભાગમાં અધિકારીથી લઈને પટાવાળા સુધી તમામ લોકો કામમાં લાગેલા છે. તો આપત્તિ પહેલા/દરમિયાન/પછી શું કરવું જોઈએ? શું વ્યવસ્થા હોવી જોઈએ? આજે યોજાયેલ મંથન શિબિરમાં ભવિષ્યમાં શું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.
પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મેજીસ્ટ્રેટ અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં આયોજિત ચિંતન શિબિરમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટરની સૂચના મુજબ આપત્તિ પહેલા, દરમિયાન અને પછી શું કરી શકાય તે અંગે વિવિધ અધિકારીઓએ પોતાના અનુભવો દ્વારા પ્રેઝન્ટેશન કર્યું હતું. તમામ રજૂઆતો જોયા બાદ જિલ્લા મેજીસ્ટ્રેટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે આપત્તિ અંગે વધુને વધુ લોકોને જાગૃત કરવા આગ્રહ કર્યો હતો. વધુમાં વધુ લોકોના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. તેમજ નાના બાળકો, વૃદ્ધો, પશુઓ, સગર્ભા સ્ત્રીઓ વગેરે પર ધ્યાન આપવા જણાવ્યું હતું. આપત્તિ સમયે બાંધવામાં આવેલા શેલ્ટર હોમમાં નાની નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જે પણ કામ થાય છે તેના દસ્તાવેજીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આજે આયોજિત આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ શિબિરમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, ડીઆરડીએના નિયામક આર.કે.મકવાણા સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટે આપત્તિ અંગે વધુને વધુ લોકોને જાગૃત કરવા આગ્રહ કર્યો હતો. વધુમાં વધુ લોકોના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. તેમજ નાના બાળકો, વૃદ્ધો, પશુઓ, સગર્ભા સ્ત્રીઓ વગેરે પર ધ્યાન આપવા જણાવ્યું હતું. આપત્તિ સમયે બાંધવામાં આવેલા શેલ્ટર હોમમાં નાની નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જે પણ કામ થાય છે તેના દસ્તાવેજીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આજે આયોજિત આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ શિબિરમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, ડીઆરડીએના નિયામક આર.કે.મકવાણા સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.