પાલનપુર-અમદાવાદ હાઇવે પર કાણોદર પાસે સ્કોર્પિયોના ચાલકે બે વાહનોને ટક્કર મારતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક કાર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે બીજો અકસ્માત પાલનપુર-અમદાવાદ હાઇવે પર કાણોદર પાસે સ્કોર્પિયોના ચાલકે બે વાહનોને ટક્કર મારતાં સર્જાયો હતો. સવારે સ્કોર્પિયો કારના ચાલકે પૂરપાટ ઝડપે આવીને બે કારને ટક્કર મારતાં વાહનમાં મુસાફરી કરી રહેલા 8થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્કોર્પિયો કારનો ચાલક કાર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.