અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. વરસાદ પડે તો મરજાતી મોલાતને ફાયદો થશે.અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર,સાથંબા અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. એક સપ્તાહના ગાબડા પછી પડેલા વરસાદથી ખેતરમાં જીવ આવ્યો હતો. ખેડૂતોએ વરસાદની તાતી જરૂરિયાત હોવાથી મકાઈ, સોયાબીન અને ખાસ કરીને મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. આવી સ્થિતિમાં મુરઝાતી મોલતને વરસાદથી ફાયદો થશે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.