મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળસપાટી નીચી હોવાથી ડેમની મધ્યમાં આવેલી ડુંગરની ગુફામાં આવેલા પ્રસિદ્ધ નંદીનાથ મહાદેવ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમની વચ્ચોવચ આવેલી ટેકરીની ગુફામાં સ્થિત નંદીનાથ મહાદેવ મંદિરનો દરવાજો ખુલતાં જ દર્શનઘેલા ભક્તો ખુશ થઈ જાય છે. ડેમની જળસપાટી નીચે ઉતરતા નંદીનાથ મહાદેવને જોવા માટે શિવભક્તો નાવડીઓ સાથે ઉમટી પડ્યા હતા. 20 વર્ષ બાદ આલોકિક શિવાજીની ગુફા ગયા વર્ષે અને આ વર્ષે પણ ખુલ્લી જોવા મળી રહી છે.
કડાણા ડેમની મધ્યમાં આવેલા 850 વર્ષ જૂના મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમનું જળસ્તર ઘટતાં જ ગુફામાં મહાદેવના દર્શન થાય છે. ભક્તો નાવડીમાં બેસીને મહાદેવના દર્શન કરવા જતા હોય છે. નદીનાથ મહાદેવના દ્વાર ખુલતા ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક લોકવાયકા મુજબ અહીં મહિપૂનમ ભાદરવી પૂનમનો મેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. પરંતુ પાછળથી બંધના નિર્માણને કારણે ગુફામાં આવેલું નંદીનાથ મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. ડેમમાં પાણીનું સ્તર વધતાં મંદિર પાણીમાં ડૂબી ગયું છે. 850 વર્ષ જૂનું આ અલૌકિક શિવ મંદિર 20 વર્ષ પછી ગયા વર્ષે શ્રાવણ મહિનામાં ખોલવામાં આવ્યું હતું. આ વર્ષે ફરી એકવાર મંદિર ખુલ્લુ હોવાથી દર્શનઘેલાના ભક્તો ખુશ છે.