અમદાવાદઃ- આજરોજ અષાઢી બીજના દિવસે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્મુરા અમદાવાદ ખાતે નીકળી છે ત્યારે હજારો ભક્તો આ યાત્રામાં જોડાયા છે દરેક લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
આજરોજ મુખ્મંયત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને પહિંદવિધિ કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેઓને આમ કરવાની તક મળી.
આ પહેલા મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના આશિર્વાદ પણ લીધા હતા. સોનાની સાવરણીથી રથ અને પથની સફાઇ કરી હતી.