વિસનગર તાલુકાના ગોકલપુરા ચોકડીથી આગળ પગપાળા કડા સધી માતાના મંદિરે ગયેલા યુવકો રાત્રિના સમયે રસ્તા પર ચાલી રહ્યા હતા. દરમિયાન એક બાઇક ચાલકે બે યુવકોને ટક્કર મારતાં તેઓને ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
મૂળ ઉનાવાના અને હાલ મહેસાણાના ખુશ્બુ એપાર્ટમેન્ટમાં રહેતા સ્વપ્નિલસિંહ દિનેશજી ઠાકોર ગઈકાલે તેના કાકાના પુત્ર સાથે મહેસાણાથી ઉનાવા આવ્યા હતા. જેમાં 50 જેટલા લોકો પગપાળા કડા સધી માતાના મંદિરે જવા ઉનાવાથી નીકળ્યા હતા. જેમાં સૌ વેરવિખેર થઈ ગયા હતા. તે સમયે સ્વપ્નિલસિંહ, પ્રતાપજી બાબુજી ઠાકોર અને કરણસિંહ કલ્યાણસિંહ ઠાકોર ચાલતા જતા હતા. દરમિયાન, ગોકલપુરા ચોકડીથી એક કિલોમીટર આગળ પહોંચ્યા ત્યારે રાત્રીના સમયે એક બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા પ્રતાપજી અને સ્વપ્નિલસિંહ બંનેને ઇજાઓ થતાં તેઓને ઊંઝા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મહેસાણા લઇ જવાયા હતા. જેના કારણે બાઇક ચાલકે પુરપાટ ઝડપે આવીને પાછળથી બંનેને ટક્કર મારતા બંનેને ઇજાઓ થતાં બાઇક ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.