(જી.એન.એસ),૨૨
સરસાણા કન્વેન્શન હોલ ખાતે કેસરિયા નવરાત્રી-૨૦૨૩ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજીએ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રંસંગે તેમની સાથે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ,સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા ઉપસ્થિત રહ્યા હતા.