રાજકોટઃ રાજકોટમાં કોંગ્રેસે કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતીથી મળેલી ભવ્ય જીતની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં રાજકોટ શહેરના બાલાજી હનુમાન મંદિરમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનોએ હનુમાનજીના વેશમાં હનુમાન મંદિરમાં ફટાકડા ફોડ્યા હતા.
કોંગ્રેસના કાર્યકરોએ જય બજરંગબલી, જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા અને હનુમાનજીના દર્શન કરીને આગામી લોકસભામાં કોંગ્રેસની જીત માટે શુભેચ્છા પાઠવી હતી. કર્ણાટકમાં કોંગ્રેસની જીતને લઈને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ગુજરાતી જાગરણ સમાચાર એપ ડાઉનલોડ કરો.
સમાચાર મેળવવા અને Whatsapp પર ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો