મહેસાણા જિલ્લાના સતલસણા તાલુકાના વાંસદા ગામના રહેવાસી નવલસિંહ ચૌહાણે સતલસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેનો નાનો ભાઈ દૂધ લઈને આંબાઘાટ ગયો હતો. આ પછી સતલાસણા અંબાજી હાઈવે પર આંબાઘાટ પાસે ફરિયાદીના ભાઈ મહેન્દ્રસિંહના અકસ્માતની જાણ થતાં ફરિયાદી ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં નંબર પ્લેટ વગરનું વાહન પલટી જતાં વાહનમાં આગ લાગી હતી. કારમાં ફરિયાદીનો ભાઈ એકલો હતો. ફરિયાદીના ભાઈ મહેન્દ્રસિંહને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર કેસમાં ફરિયાદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મારો ભાઈ બાઇક લઈને આંબાઘાટ ગયો હતો અને ત્યાંથી અકસ્માત થયો હોવાના સમાચાર મળ્યા હતા. જો કે, તે કોની કાર છે અને મારો ભાઈ તેમાં કેવી રીતે ચઢ્યો તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી.
યુવકને કાર ક્યાંથી મળી તેનું રહસ્ય
સમગ્ર કેસમાં ફરિયાદીના જણાવ્યા મુજબ મૃતક પાસે એક બાઇક હતું. જે તેણે લીધો હતો. યુવકે પાછળથી કાર ક્યાંથી મેળવી? આ કોની કાર છે? આ અંગે કોઈ માહિતી ન હતી. તેમજ કાર પર નંબર પ્લેટ પણ ન હતી. જોકે, યુવક કારમાં કેવી રીતે ચડી ગયો તે અંગે સગા-સંબંધીઓ પણ ચિંતિત છે.
સમગ્ર કેસમાં ફરિયાદીના જણાવ્યા મુજબ મૃતક પાસે એક બાઇક હતું. જે તેણે લીધો હતો. યુવકે પાછળથી કાર ક્યાંથી મેળવી? આ કોની કાર છે? આ અંગે કોઈ માહિતી ન હતી. તેમજ કાર પર નંબર પ્લેટ પણ ન હતી. જોકે, યુવક કારમાં કેવી રીતે ચડી ગયો તે અંગે સગા-સંબંધીઓ પણ ચિંતિત છે.