દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો રૂદ્રાભિષેક-જલાભિષેક સહિતની પ્રાર્થનાઓ કરી ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના કારણે શિવાલયોમાં ભક્તોની કતારો જોવા મળી રહી છે, શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યાં છે. તે સમયે રાજ્યના કેટલાક શિવ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.