ધાનેરા નગરપાલિકાની બેદરકારીના કારણે અનેક જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે. ધાનેરાની લાધાપુરા શાળા પાછળ ગંદુ પાણી જમા થતા બાળકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અહીં તાકીદે સફાઈની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.લાધાપુરા પ્રા. શાળાની પાછળ દરરોજ ગંદુ પાણી જમા થતા બાળકોને શાળાના ઓરડામાં બેસવું મુશ્કેલ બન્યું છે. આ બાબતે શાળાના શિક્ષકો દ્વારા વારંવાર જાણ કરવા છતાં સફાઈ કરવામાં આવતી નથી. ધાનેરામાં ધરણીધર શોપીંગની પાછળ આવેલ દુકાનદારોની સામે ગંદા પાણી ભરાતા હોવાથી ગ્રાહકો તેમની દુકાને આવતા નથી. આ અંગે વિક્રમભાઇ નાઇએ જણાવ્યું હતું કે, પાલિકામાં વારંવાર આવેદનપત્રો આપવામાં આવે છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત શારદા વિદ્યાલયના રોડ પર ગંદુ પાણી ઠાલવતા બાળકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે.